ધનસુરા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર(મોડાસા) :-
ધનસુરા તાલુકાના નાની ગુજેરી ગામમાં છેલ્લા પાંચ મહિનાથી આંગણવાડી તેડાગર કાર્યકરનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોને જણાવ્યા મુજબ તેડાઘર કાર્યકરની નીયુક્તિમાં જવાબદાર તંત્ર દ્વારા ગેરરીતિ આચરાઇ છે અને નિયમો વિરુધ્ધ હાલના તેડાઘર કાર્યકરની નિયુક્તિ કરાઈ હોવાના આક્ષેપ કરાવાઈ રહ્યા છે, સાથે સ્થાનિકો દ્વારા અનેકવાર અરજી કરવા છતાં તંત્રના આખા આડા કાન કરી અરજીઓને ધ્યાને ના લેતા હોવાની બુમ ઉઠી રહી છે. જેથી નાની ગુજેરી ગામના ગ્રામજનો દ્વારા સાથે મળીને અલગથી માલિકીના મકાનમાં એક આંગણવાડી શરૂ કરવામાં આવી છે. અને prasasn દ્વારા નિયુક્ત કરેલ આંગણવાળી કાર્યકર અને તેડાઘર નો વિરોધ કરાઈ રહ્યો છે.