ડેરોલ સ્ટેશન ખાતે વર્ચ્યુઅલ ઉદઘાટન પ્રસંગે પીકેએસ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને સન્માનીત કરાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

અમૃત ભારત સ્ટેશન અંતર્ગત દેશના 508 રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ અંતર્ગત આપણા ડેરોલ સ્ટેશનનુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં શ્રી પી.કે.એસ.હાઈસ્કૂલ, ડેરોલ સ્ટેશનની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ પ્રસંગે વડોદરાના ભૂતપૂર્વ મેયર અને પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર દ્વારા ગરબાની બહેનો ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પધૉમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય ક્રમે આવેલા આપણી શાળાના વિધાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here