ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
23 માર્ચનાં રોજ સવારે 11.00 કલાકે સરકારી આઈ.ટી.આઈ. કાલોલ ખાતે આયોજન
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા અને દાહોદ દ્વારા તા.૨૩ માર્ચ, ૨૦૨૨નાં રોજ સરકારી આઈ.ટી.આઈ કાલોલ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે દિવ્યાંગ ઉમેદવારો માટે જિલ્લા ક્ક્ષાનાં ઔદ્યોગિક રોજગાર ભરતીમેળા અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મહિલા તથા પુરુષ ઉમેદવારો જ રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્વારા સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધો.૧૦ થી ઓછુ ભણેલા, ધો.૧૦પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૪૦ વર્ષ વય મર્યાદા ધરાવતા અનુભવી, બિન-અનુભવી દિવ્યાંગ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક/ સ્વરોજગારીની તક પૂરી પાડવામાં આવશે.આ ભરતીમેળામાં પંચમહાલ જિલ્લાના નોકરીદાતા દ્વારા ટેકનિકલ- નોન ટેકનિકલ તેમજ લાયકાત અને શારીરિક ક્ષમતા મુજબની જગ્યાઓ માટે નોકરીદાતા દ્વારા પસંદગી કરવામાં આવશે. ભરતીમેળામાં ભાગ લેવા અને રોજગાર કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન કરાવવા તથા ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.