છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં આજે ૪ ઉમેદવારી પત્રો રજૂ કરાયા… અત્યાર સુધીમાં કુલ ૧૧ ઉમેદવારી પત્રો રજૂ કરાયા

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈને તા. ૧૨/૦૪/૨૦૨૪ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.
આજે તા. ૧૮/૦૪/૨૦૨૪ ને ગુરૂવારના રોજ ૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે જામસીંગભાઈ હીરાભાઈ રાઠવા એ એક ઉમેદવારી પત્ર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે સોમાભાઈ ગોકળભાઈ ભીલ એ બે ઉમેદવારી પત્રો અને માલવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફુરકનભાઈ બલજીભાઈ રાઠવા એ એક ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.
આમ, અત્યાર સુધીમાં ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે કુલ ૧૧ ઉમેદવારી પત્રો રજૂ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here