છોટાઉદેપુર : દેવગઢ બારીયાના વણકર પરિવારને અસ્થિ વિસર્જન કરવા જતાં જબૂગામ રેફરલ હોસ્પિટલ પાસે નડ્યો અકસ્માત

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

અકસ્માત બાદ કોઈ જાન હાની ન થતાં વણકર સમાજ ના પરિવારે રાહત નો શ્વાસ લીધો

પાવી જેતપુર તાલુકાના સિહોદથી જબુગામ અને બોડેલી સુઘી ૫૬ નંબર હાઈવે બિસ્માર હાલતમાં હોઈ વારંવાર અકસ્માત સર્જાતા હોય છે. અને ફરી એક્વાર અકસ્માત મા વધારોથતાં વાહન ચાલકોમાં ભય ઊભો થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી તાલુકાના જબુગામ રેફરલ હોસ્પિટલ પાસે ખાનગી બસ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ના વણકર પરિવાર ડભોઇ તાલુકા ના ચાણોદ માં અસ્થિ વિસર્જન કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન સ્ટિયરિંગ લોક થઈ ગયા નું જાણવા મળ્યું હતું અને રોડની બાજુમાં આવે લી ગટર મા બસ ખાબકતા ૫૦ જેટલા મુસાફરો ભરીને જતી બસ મા ૧૦ જેટલા મુસાફરો ને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે બોડેલી ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા ઇજાગ્રસ્તો ને 108 સહિત 7 જેટલી એમ્બ્યુલન્સમાં જબૂગામ અને બોડેલીની હોસ્પિટલોમાં ખસેડાયા હતા. અકસ્માત થતા ની સાથે લોકટોળા ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. અને બોડેલી પોલીસ ને ઘટનાની જાણ થતાની સાથે બોડેલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here