છોટાઉદેપુર જીલ્લાના કદવાલ ગામે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે-મિલાદની ઉજવણી કરવામાં આવી

કદવાલ, (છોટાઉદેપુર) આદિત્ય :-

ઈદે-મિલાદની ઉજવણીના પગલે મસ્જિદ અને દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. ઉજવણી પર્વે કદવાલ ગામમાં ભવ્ય ધાર્મિક જુલૂસમાં મસ્જિદના ઇમામ સાહેબ, મદરેસાના બાળકો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હઝરત મોહંમહ પયંગમ્બર સાહેબના જન્મ દિનની જિલ્લાના મુસ્લીમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઇદે મિલાદની ઉજવણીમાં જિલ્લામાં ભવ્ય ઝુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા. ઇદે મિલાદની ઉજવણીના ભાગરુપે કદવાલ ગામના પણ વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઇટો અને તોરણોની ચમકથી ઝળહળી ઉઠયા હતા.
ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિને ઇદે મિલાન્દુન્નબી સમગ્ર રાજ્યની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આન બાન અને શાનથી ખુબજ શાંતિપૂર્વક ઉજવણી કરાઇ હતી.

વહેલી સવારથી જ જિલ્લાની મસ્જિદોમાં મૌલાના સાહેબો દ્વારા તકરીર, કિરઅત, નાત શરીફ અને સલામ પઢી દુવાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 8:30 વાગ્યે મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દિન નિમિત્તે ગુરુવારે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ હતુ. જેમાં પગપાળા ચાલતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા. જુલુસમાં આવતાં બાળકોને શરબત, બિસ્કીટ, ચોકલેટ વગેરે વહેચવામાં આવ્યા હતા.
આમ કદવાલ ગામમાં હઝરત મોહમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી કોમી એકતાના માહોલમાં ઉજવવામાં આવી હતી.
જેમાં અનેક લોકોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, આમ હઝરત મોહમદ પયગમ્બર સાહેબે આપેલા નવગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલા શાંતિ અમન ભાઈચારાના બતાવેલા રસ્તા ઉપર ચાલી ઇદે મિલાદ ની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here