બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
તારીખ ૧૦ બોડેલી બોડેલી એસટી ડેપોની ૨૭ બસ આનંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્રોગ્રામ માં મોકલી આપતા બોડેલી ડેપો માં મુસાફરો અટવાયા હતા અને પૂછપરછ ની બારી ઉપર એક બોર્ડ મારી દીધું હતું કે તારીખ ૧૨/૧૦/૨૨ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના પ્રોગ્રામ હોવાથી બસો અનિયમિત ચાલશે તેમ જ પૂછપરછ પર ગામડાના અભણ માણસો પૂછવા જતા ત્યારે ત્યાં ફરજ પરના અધિકારી બસ ના કોઈ ઠેકાણા નથી તેવા જવાબ પણ આપ્યા હતા ત્યારે બોડેલી ના આજુબાજુ ગામના મુસાફરી કરનાર મુસાફરો ચિંતામાં મુકાયા હતા આખરે પ્રાઇવેટ સાધન નો સહારો લેવાનો વારો આવ્યો હતો.