છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા ગામે આવેલ કોઝવે ઉપર કોતરના પાણી ફરી વળતા ગામલોકો અટવાયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામ પાસે આવેલ દેવલીયા ગામ પાસે કોઝવે આવેલો છે. જ્યાં આજરોજ વહેલી સવારથી ધમાકેદાર વરસાદ વરસતા કોટરમાં પાણી આવ્યા હતા. જે પાણીના ભારે ધસમસતા પ્રવાહને કારણે કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા. જેથી આસપાસના વિસ્તારના અંદાજે 12 જેટલા ગામના લોકો અટવાઈ ગયા હતા. જ્યારે બંને તરફ થી અવર જવર બંધ થઈ ગઈ હતી. દેવલીયા ગામના કોઝવેથી મુખ્ય નેશનલ હાઇવે ન 56 નો માર્ગ નજીક હોય જ્યાં આવવા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here