છોટાઉદેપુર ખાતેના સ્વામીનારાયણ હોલ પર ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને તાલુકા કક્ષાનો કૃષિ મેળાનું આયોજન કરાયું

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર નગર ખાતે સ્વમીનારાયણ હોલ પર ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ 2023 અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું, જેમાં અંદાજીત 500 જેટલા ખેડૂતોએ ભાગ લીધો. કાર્યક્રમમાં ICDSની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીના સ્ટોલ તથા કૃષિ પ્રદર્શની સ્ટોલ તેમજ NGO, પ્રાકૃતિક કૃષિ, ખેતીવાડી, બાગાયત, આત્મા તેમજ ટ્રેક્ટર ધિરાણ માટે કમ્પનીઓના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ ગીતાબેન રાઠવા, તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ, તાલુકા/જિલ્લા સદસ્યશ્રીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત, નાયબ ખેતી નિયામક (તાલીમ) સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here