ચોટીલામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી

ચોટીલા,
આરીફ દીવાન(મોરબી)

ચોટીલા ખાતે પાળીયાદ રોડ પર આમ આદમી પાર્ટી ની મીટીંગ નું આયોજન જિલ્લા પ્રમુખ પરસોતમભાઇ મકવાણા અને ઉપપ્રમુખ દેવકરણભાઈ જોગરાણા ની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું. ગુજરાત માં હાલ ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે એક પરિવર્તન નો પવન ફૂંકાઈ રહ્યો છે. આવા સંજોગોમાં ગુજરાત આમ આદમી પાર્ટી ની કમાન ગોપાલ ઇટાલીયા એ સાંભળતા નવયુવાનો અને સામાજિક કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ છે અને સમાજ સેવા કરવા આતુર લોકો હોંશે હોંશે આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ના આગેવાન દેવકરણભાઈ જોગરાણા પણ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને સંગઠન મજબૂત કરવા કમર કસી રહ્યા છે. ત્યારે ચોટીલા તાલુકા અને શહેર ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી છે. જેમાં ચોટીલા તાલુકા પ્રમુખ તરીકે ધીરુભાઈ પ્રેમજીભાઈ મેટાળીયા, ઉપપ્રમુખ તરીકે કનૈયાલાલ રાધેશ્યામભાઈ નિમાવત, ચોટીલા શહેર પ્રમુખ તરીકે કૌશિકભાઈ જીણાભાઈ બોડાણા ની વરણી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સંગઠન ને વધુ મજબૂત બનાવવા કાર્યકર જોડો અભિયાન શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here