ચૈત્રી નવરાત્રી પાંચમુ નોરતુંમાં તુલજાના દરબારમાં ભક્તોનું ધોડાપુર

પાદરા, (વડોદરા) ચારણ એસ વી (બોડેલી) :-

પાદરા તાલુકાના રણુ ગામે આવેલ તુલજા ભવાની માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીએ તુલજા ભવાની માના દર્શને મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ જોવા મળ્યું પાદરા તાલુકાના રણુ ગામે સ્થિત મા તુળજા ભવાની ના ધામમાં નવરાત્રિના રવિવાર અને પાંચમું નવરાત્રી થી માતાજી ના દર્શન નું મહત્વ આજે રવિવાર વહેલી સવારથી માય ભક્તો દર્શનાર્થે દર્શન કરવા ઉમટી પડ્યા હતા તુલજા ભવાની મંદિરે રવિવાર લક્ષ્મી અને સરસ્વતી માના રૂપને શણગાર કરવામાં આવ્યું હતું રનુ તુલજા ભવાની મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ખાતે શ્રી યંત્ર પૂજન તેમજ હવન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર માસના નવરાત્રી અને રવિવારના રોજ ભક્તોની ભીડ ઉમટી પડી હતી તુલજા ભવાની મંદિરે પદયાત્રી તેમજ દેશ વિદેશથી દૂર દૂરથી માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે આમ તો દર રવિવારે માતાજીના મંદિરે માય ભક્તોનું તો દર્શનાર્થે આવતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here