ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામે મદ્રસા પર ત્રિરંગો લહેરાવી સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

આજ રોજ રાજગઢ પાલ્લા ગામે મુસ્લિમ બિરાદરો દ્વારા ૧૫ ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના વડીલો તથા હિન્દુ ધર્મ આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના તથા હિન્દુ સમાજના લોકો ભેગા થઇ ત્રિરંગાને સલામી આપી હતી અને ગામમાં ગંગા જમની તેહજીબ એવી અનેકતામાં એકતાનો સંદેશ આપ્યો હતો, જ્યારે ગામમાં આવેલા મદ્રાસ ઉપર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે શાળાના આચાર્ય, શિક્ષકો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમથી અને ભારત માતાની જય સાથે આખું મેદાન ગુંજી ઉઠ્યું હતું એ સમયે સમસ્ત ગામમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here