ગોધરા નગરના ખ્યાતનામ વલી હઝરત ફુલ સૈયદ બાબા રે. અ. નો સંદલ શરીફ ઉજવાયો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ગતરોજ ગોધરા નગરના ખ્યાતનામ વલી હઝરત ફુલ સૈયદ બાબા રે. અ નો સંદલ શરીફ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગોધરા નગરના હિન્દૂ મુસ્લિમ સહિત અનેક અકિદત મંદોએ સંદલ શરીફમાં હાજરી આપી ફુલ ફાતેહાની નજરો ન્યાઝ અર્પણ કરી હતી…

ગોધરા નગરમાંથી પસાર થતી મેશરી નદીના કાંઠે હઝરત ફુલ સૈયદ બાબા રે. અ. નો અદભુત આસ્થાનો આવેલો છે, તેમજ હઝરતના આસ્થાનાથી લગોલગ ચેક ડેમનું નિર્માણ કરેલ હોવાથી બારેમાસ હઝરતની દરગાહમાં મદમસ્ત ઠંડા પવનો મહેકાતા રહે છે, તેમજ સંધ્યાકાળે જાણે નૂરનો ઓછાયો પથરાયો હોય એવો માહોલ જામી જતો હોય છે જેના કારણે નગરના અનેક અકીદત મંદો સહિત સહેલાણીઓ પણ હજરતની બારગાહમા હાજરી આપવા પહોંચી જતા હોય છે…

હઝરત ફુલ સૈયદ બાબા રે. અ. નો સંદલ સરીફ દર વર્ષે ઇસ્લામી હિજરી મુજબ શવ્વાલ મહિનાના 22 માં ચાંદે અને ઉર્ષ મુબારક 23 મા ચાંદે ઉજવવામાં આવે છે, જે અનુરૂપ ગતરોજ હઝરત ફુલ સૈયદ બાબા રે. અ. નો સંદલ શરીફ ઉજવાયો હતો અને આજરોજ એટલે કે રવિવારના રોજે ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે…

તદઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલે કે આજરોજ હઝરત ફુલ સૈયદ બાબા રે. અ. ના ઉર્ષ મુબારકની ઉજવણીના ભાગરૂપે હઝરતના અકીદત મંદો તરફ ન્યાઝ (ભાંડરા) નું આયોજન પણ કરવામાં આવશે…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here