કોસીંદ્રા વેપારી મંડળે ૫ દિવસના સંપૂર્ણ સ્વૈચ્છીક લોકડાઉનનો કર્યો નિર્ણય…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને અનેક ગામોમાં વેપારી મંડળ અને ગ્રામ પંચાયતના સરપંચ સહીત સભ્યો અને ગામના આગેવાનો સહિતના સભ્યોએ બેઠક યોજી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરી રહ્યા છે ત્યારે બોડેલી તાલુકાના કોસીંદ્રા ગામે વેપારી મંડળ,ગ્રામ પંચાયતના સરપંચ,ડે.સરપંચ,સદસ્યો અને આગેવાનોએ યોજેલ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે ૨૯ એપ્રિલથી ૩ મે સુધી ૫ દિવસ માટે કોસીંદ્રાની ઇમર્જન્સી દુકાનો મેડિકલ,દવાખાના સિવાય સંપૂર્ણ બાઝાર સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવશે.કોસીંદ્રામાં દૂધ વિતરણ કરતા દુકાનદારો સવારે ૨ કલાક માટે જ દુકાન ખુલ્લી રાખી શકશે.કોસીંદ્રા સહીત આજુબાજુના ગ્રામજનોએ પણ વેપારી મંડળ,પંચાયત અને આગેવાનોએ લીધેલ સ્વૈચ્છીક લોકડાઉનના નિર્ણયને આવકાર્યો છે આમ કોરોના મહામારીમાં વેપારીઓએ બોલાવેલી બેઠકમાં આજથી ૫ દિવસના સ્વૈચ્છીક લોકડાઉનના નિર્ણયને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો.ગ્રામ પંચાયતે લોકડાઉન દરમિયાન ગામની શાંતિ,સલામતીને કોઈ વ્યક્તિ ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે પંચાયતના લેટરહેડ પર સ્વૈચ્છીક લોકડાઉન અંગેની જાણ તાલુકા મામલતદાર અને તાલુકા પીએસઆઇ ને લેખિતમાં મોકલી આપવામાં આવી છે.આમ કોસીંદ્રામાં વેપારી મંડળ,ગ્રામ પંચાયત અને આગેવાનોએ ૫ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here