કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ છેવાડાના નાગરિકના આરોગ્યની ચિંતા કરી મફત કોરોના રસી મુકવાનું આયોજન કરેલ છે ત્યારે આજરોજ કાલોલ તાલુકા ના ડેરોલ સ્ટેશન માર્કેટિંગ યાર્ડમાં કોરોના રસીકરણ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાલોલ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ ડૉ. કિરણસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ ડૉ. યોગેશ પંડ્યા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પંચમહાલ જિલ્લા મહામંત્રી રમેશ ભાઈ તલાટી વગેરે હાજર રહી લોકો ને રસી મૂકવા માટે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. તથા આરોગ્ય તંત્ર ને સહયોગ આપ્યો હતો. ગામના અગ્રણીઓએ કેમ્પમાં હાજર રહી સેવાઓ આપી હતી. કોરોના રસીકરણ માટે જાગૃતતા દાખવી અદ્ભૂત ઉત્સાહ સાથે ૨૭૯ જેટલા લોકોઅે રસી મુકાવી રસીકરણ અભિયાન તથા કેમ્પ ને સફળ બનાવ્યો હતો.