કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ ના આંગણે કાલોલ વૈષ્ણવ સમાજ(KVS) દ્વારા શ્રી ગોવર્ધનનાથજી હવેલી,કાલોલ ખાતે પ.પુ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ના ૪૧ માં પ્રાગટ્ય દિવસ ની અતિભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા:- ૧૧/૦૨/૨૦૨૩,શનિવાર ના રોજ શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં વિવિધ મનોરથો કરવામાં આવી રહ્યા છે. જેમાં સવારે પલના- નંદ મહોત્સવ, રાજભોગ માં મનોરથ ના દર્શન, ત્યાર બાદ આપ શ્રી ની માર્કન્ડેય પૂજન કરવામાં આવશે. દરેક વર્ષો ની જેમજ આ દિવસે સાંજે ભવ્ય ફૂલ ફાગ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્ય જે જે શ્રી દ્વારા ફૂલો દ્વારા દરેક વૈષ્ણવો ને હોળી રમાડવામાં આવશે. આ દિવસે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા કાલોલ ના સર્વે વલ્લભીવૈષ્ણવઑ માટે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ ના આંગણે પૂ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી નો પ્રાગટ્ય દિવસ ઘણા વર્ષો પછીમનાવવામાં આવી રહ્યો છે..આખા કાલોલ માં સર્વ સમાજ જાણે દિવાળી ની જેમ આ મનોરથ મનાવવા માટે તત્પર થઈ રહ્યા છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કાલોલ વૈષ્ણવ સમાજ (KVS) ના સર્વે કાર્યકર્તાઓ એ ઉત્સાહ પૂર્વક અતિભવ્ય તૈયારીઓ ને આખરી ઓપ આપી રહ્યા છે.