કાલોલ તાલુકાની જોડિયા કુવા પ્રા. શાળા માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજનો દિવસ ખરા અર્થમાં ભારત ની રૂષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પુજન દિવસ ગણવામાં આવે છે. ત્યારે ખરેખર નિસ્વાર્થ પ્રેમ ની મૂર્તિ એવા માં બાપ જ આ જમાનામાં ખરો પ્રેમ કરી શકે છે. એવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ આજે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની જોડિયા કુવા પ્રાથમિક શાળામાં જોવા મળ્યું હતું. જ્યાં શાળા નાં આચાર્ય અને કાલોલ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ના મહામંત્રી રમેશ પટેલ અને શિક્ષકો જગદીશ ભગોરા,ભારતી બેન પટેલદ્વારા બાળકોને માતૃ પિતૃ પુજન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જોડિયા કુવા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પુજન દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ 14 ફેબ્રુઆરી એટલે માતૃ પિતૃ પૂજન દિવસે આજના આ પાવન દિવસે બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં બાળકોના માતા-પિતા ને બોલાવી તેમનું કુમકુમ તિલક, ચોખા અને ફુલહારથી પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ માતાપિતા ના ચરણો માં જ 68 તિર્થ છે તેવું બાળકો ને સમજાવવામાં આવ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here