કાલોલ,(પંચમહાલ_
મુસ્તુફા મિરઝા
કાલોલ તાલુકાના સુરેલી ગામના મૂળ વતની અને હાલ ભરૂચ ખાતે રહેતા અને એસ.ટી ડિવિઝનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ વિનુસિંહ ચૌહાણ દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે મુજબ તેમના વૃદ્ધ પિતા સુરેલી બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા ત્યારે એક મોટરસાયકલ ચાલક પૂરઝડપે ગફલત ભરી રીતે અને બેફિકરાઈથી પોતાના કબજા હેઠળની મોટરસાયકલ નંબર જીજે ૧૭ બીડી ૧૮૪૦ ને હંકારી રોડની સાઈડમાં ઉભેલા વિનુભાઈ જાદવભાઈ ચૌહાણ ને અડફેટમાં લઇ ટક્કર મારી પાડી દઈ શરીરે માથામાં તેમજ હાથે-પગે ઇજાઓ કરી પોતાનું વાહન મૂકીને નાસી ગયેલો જે બાદ ગામ લોકોએ ૧૦૮ બોલાવી ગોધરા સારવાર માટે લઇ ગયેલા હતા. અને લક્ષ્મણસિંહ પરમાર નામના ઈસમે તેમના દીકરા મહેન્દ્રસિંહ ને ફોન કરતાં તેઓ ભરૂચ થી ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવેલા જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેઓના પિતા વિનુભાઈ જાદવભાઈ ચૌહાણને ડોકટર દ્વારા મરણ જાહેર કરેલ જે અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવતા વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન એમ રાવત દ્વારા અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરૂધ્ધ ૨૭૯, ૩૦૪ એ, અને એમ.વી એક્ટ ની કલમ ૧૭૭,૧૮૪,૧૮૭ આ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.