અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલ અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, દબાણ, માર્ગ વિકાસ, અન્ન પુરવઠા, બસ વ્યવસ્થા, શાળા પાસે સ્પીડબ્રેકર, ઝૂંપડપટ્ટીના લોકોને મકાન ફાળવણીને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.

બેઠકમાં જિલ્લામાં યોજાતા સેવાસેતું કાર્યક્રમ હેઠળ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી.પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્યશ્રી જશુભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here