ધોરાજીમાં રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળશે

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ધોરાજીમાં આગામી‌ તા. ૩૦/૩/૨૦૨૩ના રોજ‌ રામનવમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ધોરાજી દ્રારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ધોરાજીના સ્ટેશન પ્લોટ પાસે આવેલ રામ મંદિર ખાતેથી સવારે ૭:૦૦ કલાકે પ્રસ્થાન થશે ત્યારબાદ જમનાવળ રોડ, ગેલેક્સી ચોક, અવેળા ચોક, શાક માર્કેટ, દરબારગઢ, ત્રણ દરવાજા, સ્ટેશન રોડ તેમજ બંબા ગેટથી રામ મંદિર ખાતે મહા આરતીથી આ શોભાયાત્રાની પુર્ણાહુતિ થશે. આ રામ નવમી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં સર્વે હિન્દુ સમાજને જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here