શહેરા(પંચમહાલ)
ઇમરાન પઠાણ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગામમાં નેહરુ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પસનાલ ગ્રામ પંચાયત તેમજ બાબા રામદેવ મંદિર અને આંગણવાડી ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, આ સમયે પસનાલ ગ્રામ પંચાયતના સરપંચ, રામદેવ મંદિરના પૂજારી તેમજ નેહરુ યુવા કેન્દ્રની ટીમ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.