સંખેડા,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી(નસવાડી):-
હુઝુર ગાજીએ મિલલત હજરત સૈયદ મોહમ્મદ હાશ્મી મિયા અશરફીયુલ જીલાની એ બયાન કર્યું
સંખેડા તાલુકાના બહાદરપુર ગામે જશને ગૌસે આઝમ મનાવવા માં આવ્યું છે જેમાં તકરીર કથા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બહાદરપુરમાં શરીયત ઇસ્લામ અંગે બયાન કરી શરીયત પર ચાલવાની શીખ આપી હતી અને આધ્યાત્મિક ચર્ચા કરી અંધ વિશ્વાસ થી દુર રહો અને દીકરીઓને પ્રેમ કરો આજના યુગ મા દીકરીઓ જે મા બાપ ને બોજ રૂપ લાગતી હોય તેવી દીકરીઓ ને ઇસ્લામ ધર્મમા દીકરીઓ નો હક અને હક થી જીવવા માટે પ્રેરણા આપી હતી હદીશ ની રોશનીમાં બયાન કરીને હાજર મેદનીને ઇસ્લામના બયાન થી તરબોળ કરી દીધા હતા માં શુ છે બાપ શુ છે એના પર પણ બયાન કરવામાં આવ્યું અને મા બાપ નું મહત્વ શુ છે એ પણ ઈસ્લામની રોશની મા સમજાવવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમુદાય ને નેક અને એક બનવાનો અનુરોધ કર્યો હતો સમગ્ર વિશ્વમાં પ્રેમ ભાઈચારાને શાંતિનો સંદેશો આપ્યો હતો જે તમામ મુસ્લિમ સમાજે યાદ રાખવો જોઈએ અને એમાં ઉપસ્થિત મહેમાનો રફીક બાવા ઝઘડિયા ઝાકીર અલી બાવા ટૂંડાવ તોસિફ બાવા બરોડા યાસીન હાફીજી ડભોઈ વગેરે સાદાતે કિરામ હુંફફાઝે કિરામ ઉલમાએ દિન હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.