નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજે મંગળવાર એટલે હનુમાન દાદા નો દીવસ હોય જેને લઈ શ્રીજી યુવક મંડળ ના યુવાનો દ્રારા સરસ અને સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મહાપ્રસાદી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા શ્રીજી યુવક મંડળ ના તમામ સભ્યો ભેગા મળી પ્રસાદી બનાવી હતી અને ભક્તોને પ્રસાદી રૂપી ભોજન પીરસવામાં આવ્યુ હતુ અને લોકોએ ભરપેટ પ્રસાદી લીધી હતી ત્યાર બાદ કૃષ્ણ મહારાજ દ્રારા સુંદરકાંડ ના પાઠ કરવામાં આવ્યા હતા જેમા તમામ યુવાનો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજ દ્રારા સારી સમજ આપવામા આવી હતી અને પ્રસાદી લઈ ભક્તો પોતાના ઘરે પરત ફર્યા હતા.