વાંકાનેર,(મોરબી) આરીફ દિવાન :-
વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે તા.૧૫–૧૦–૨૦૨૧ ના રોજ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના વરદ હસ્તે ૧૨૭૦૦ ચો.ફુટના આધુનીક ફાર્મર શેડ અને ગોડાઉનનુ લોકાર્પણ કરવામાં આવ્યુ. આ પ્રસંગે પોતાના વકત્વયમાં ધારાસભ્ય પીરઝાદાએ વાંકાનેર માર્કેટયાર્ડની કામગીરીની પ્રશંસા કરી હતી. માર્કેટયાર્ડ ચેરમેન શકીલ પીરઝાદાએ પોતાના વકત્વયમાં માર્કેટયાર્ડની પાંચ વર્ષની સફળ કામગીરીનુ વર્ણન કર્યુ.
આ પ્રસંગે માર્કેટયાર્ડના વિકાસમાં ફાળો આપનાર પુર્વ ચેરમેનો ઈરફાન પીરઝાદા, આહમદભાઈ શેરસીયા, સબીરભાઈ મોમીન અને રસુલભાઈ કડીવારને સન્માનીત કરવામાં આવ્યા. ઉપરાંત આ કાર્યક્રમમાં યુનુસભાઈ શેરસીયા નેતા વિરોધ પક્ષ તાલુકા પંચાયત વાંકાનેર, હરદેવસીહ જાડેજા જીલ્લા પંચાયત સદસ્ય મોરબી, નવધણભાઈ મેધાણી મોરબી જીલ્લા પંચાયત સદસ્ય, કરશનભાઈ કુંભાણી, ઈસ્માઈલભાઈ બાદી તાલુકા સંધ પ્રમુખ,પ્રભુભાઈ વિજવાડીયા પુર્વ ઉપપ્રમુખ જીલ્લા પંચાયત મોરબી, ગુલામભાઈ પરાસરા પુર્વ ઉપપ્રમુખ જીલ્લા પંચાયત મોરબી, અબ્દુલભાઈ બાદી રાજકોટ જીલ્લા દુધ સંધ, હસનભાઈ બક્ષી જીલ્લા ખરીદ વેચાણ સંધ સદસ્ય, ગોહેલભાઈ તાલુકા કોગેસ પ્રમુખ, માર્કેટયાર્ડના ડિરેકટરો અમીયલભાઈ કડીવાર, ગુલાબભાઈ બાદી,પરબતભાઈ ડાંગર, ઉસ્માનભાઈ મરડીયા, હુશેનભાઈ ભોરણીયા સહીત સમગ્ર વાંકાનેર તાલુકાના સહકારી સંસ્થાના અગ્રણીઓ તથા યાર્ડના વેપારીઓ અને કમીશન એજન્ટો ઉપસ્થિત રહયા હતા.
વિશેષ રાજકોટ માર્કેટયાર્ડના ડિરેકટર અતુલભાઈ કમાણી અને રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વીજયભાઈ બોરડ હાજર રહયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન માર્કેટયાર્ડ વાઈસ ચેરમેન અશ્વીનભાઈ મેધાણીએ કરેલ અને આભાર વિધી યાર્ડ ડિરેકટર અલી,’ઈ બાદીએ કર્યુ હતુ.