વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-
ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા વાંકાનેર પંથક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનકાળના નવ વર્ષ પુરા થતા જનસંપક કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર ના વિવિધ રોગ નિષ્ણાંત તબીબોની મુલાકાત ભારતીય જનતા પાર્ટી ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી છે જેમાં જાણવા મળતી વિગતે એવી છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત વિશિષ્ટ લોકોની મુલાકાત નિમિત્તે વાંકાનેર શહેરનાં ખ્યાતનામ ડો. પ્રકાશભાઈ ધરોડીયા, ડો.અશ્ચિનભાઈ ધરોડીયા, ડો. મિતુલભાઈ પટેલ, ડો. જીજ્ઞેસભાઈ દેલવાડીયા, ડો. પ્રદીપભાઈ ભલગામડીયા, ડો. નયનભાઈ ભીમાણી, ડો.હર્શદભાઈ મહેશ્વરી, ડો. હેતલબેન ગોરીયા,ડો. કિરણભાઈ ગોસાઈ, ના દવાખાને જઈને રૂબરૂ મુલાકાત લઈ ને જનસંપર્ક અભિયાન ને વેગવંતુ કરવા વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ભાજપના સંનીષ્ઠ કાર્યકર્તાઓ જોડાયા હતાં. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.