મોરબી, આરીફ દિવાન :-
રઘુવંશી મહિલાઓ માટે વિનામુલ્યે રાસોત્સવ તથા મહાપ્રસાદ નુ આયોજન
મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા રઘુવંશી બહેનો માટે શરદ પૂનમ ના પાવન પર્વ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામુલ્યે ભવ્ય રાસોત્સવ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા ૧૬૦ થી વધુ રઘુવંશી બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કેટેગરી ના વિજેતા બહેનો એ સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરી સન્માનિત તેમજ પ્રોત્સાહીત કરવા મા આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જલારામ મંદિર દ્વારા મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ.
કાર્યક્રમ ને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળ ના ચંદ્રિકા બેન પલાણ, હીનાબેન (કશીશ ગીફ્ટ), અવનીબેન, નીલાબેન, ક્રિષ્ના બેન, ઉમાબેન સોમૈયા, અજંલી બેન, કવિતા બેન, નયનાબેન સહીત ના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિર ના ભાવીનભાઈ ઘેલાણી, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, અમિતભાઈ પોપટ, કીશોરભાઈ પલાણ, જીતુભાઈ પુજારા,રમેશભાઈ બુધ્ધદેવ, ચિરાગ રૂપારેલીયા સહીતના અગ્રણીઓ એ જહેમત ઉઠાવી હતી.