મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-
આજરોજ મોડાસા તાલુકા ના નાંદિસણ ગામે નાંદિસણ રાજપૂત સમાજ ચૌહાણ પરીવાર દ્વારા આશાપુરા મંદિર ખાતે ૧૫ મો પાટોત્સવ મહોત્સવ મા મંદિર ના ચોક મા યજ્ઞ કરી ને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમાજ ના સર્વે અગ્રણી ઓ , ભાઈઓ અને બહેનો અને ગ્રામજનોએ મોટી સંખ્યા માં હાજરી આપી હતી. સમાજના સભ્યો ભેગા મળી ને માતાજી પાસે સમાજ માં શાંતિ સમૃદ્ધિ અને અભ્યાસ મા નવી પેઢી આગળ વધે એવો સંકલ્પ કર્યો હતો.