મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અન્વયે પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં દિવ્યાંગ પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અન્વયે પંચમહાલ જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર મળી રહે તે માટે જનરલ હોસ્પિટલ, સરકારી મેડીકલ કોલેજ, જીએમઇઆરએસ મેડીકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલ દ્વારા યુનીવર્સલ આઇડી પર્સન વીથ ડીસેબીલીટીઝ (UDID) પોર્ટલ પર રાજ્યના મહત્તમ દિવ્યાંગજનોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર મળી રહે તે માટે તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ઉપર દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પનુ આયોજન કરવામાં આવશે. જેમાં તમામ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ઘરાવતા ઉમેદવારોને તેમની શારીરીક ચકાસણી કર્યા બાદ દિવ્યાંગતાનુ પ્રમાણપત્ર આપવામાં આવશે.

આગામી તારીખ ૦૩/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સા.આ.કેન્દ્ર હાલોલ ખાતે, તારીખ ૧૦/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સા.આ.કેન્દ્ર, કાંકણપુર ખાતે, તારીખ ૧૪/૦૩/૨૦૨૩ મંગળવારના રોજ સા.આ.કેન્દ્ર, કાલોલ ખાતે તારીખ ૧૭/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સા.આ.કેન્દ્ર, ઘોઘંબા ખાતે તારીખ ૨૧/૦૩/૨૦૨૩ મંગળવારના રોજ સા.આ.કેન્દ્ર, શહેરા ખાતે, તારીખ ૨૪/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સા.આ.કેન્દ્ર,જાંબુઘોડા ખાતે, તારીખ ૨૮/૦૩/૨૦૨૩ મંગળવારના રોજ સા.આ.કેન્દ્ર, મોરવા(હ) ખાતે, તારીખ ૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સા.આ.કેન્દ્ર, મોરા, તાલુકો-મોરવા(હ) ખાતે કેમ્પ યોજાશે.

વધુમાં વધુ દિવ્યાંગ વ્યક્તિઓ સદર કેમ્પનો લાભ મેળવે તે માટે અનુરોધ કરાયો છે.સદર કેમ્પ દરેક તાલુકામા સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ કલાક દરમ્યાન આધારકાર્ડની ઝેરોક્ષ-૦૧,રેશનકાર્ડની ઝેરોક્ષ-૦૧ , પાસપર્ટ સાઇઝના ૩ ફોટા અને ઓરીજનલ રેશનકાર્ડ વેગેરે લઇને હાજર રહેવાનુ રહેવાનું રહેશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here