માર્ગ અને મકાન વિભાગનાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર રાહુલ કુમાર ગુપ્તા દ્રારા ભુખ હડતાલ યથાવત

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી માર્ગ મકાન વિભાગ કચેરી મા સરકારી કામોમાં થયેલા ભ્રષ્ટાચાર ને લઈને સામાજિક કાર્યકર દ્વારા લેખિત અરજી કરવામાં આવી હતી ૧૦ મહિનાથી અરજીનો જવાબ ના મળતા અરજદાર કચેરીની બહાર ભૂખ હડતાલ પર બેસતા અધિકારીઓ તરફથી હાલ કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી હાલ લગભગ ૨૮ કલાક થી ભૂખ હડતાલ પર બેસેલા અરજદાર નો કોઈપણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો નથી અરજદાર ની તબિયત પણ નાજુક બનતી જાય છે તેમ જાણવા મળેલ છે જ્યારે નસવાડી ના મામલતદાર સાહેબે અરજદાર ને માહિતી આપવા માટે આર એન્ડ બી ના કર્મચારીઓને માહિતી આપી દેવી તેમ મૌખિક ખાત્રી આપી હતી પણ લગભગ ૨૮ કલાક જેટલો સમયગાળો વીત્યા બાદ પણ કોઈ ઉકેલ ના મળતા આખરે અરજદાર ની ભુખ હડતાલ યથાવત જોવા મળી હતી જ્યારે અરજદાર માટે નસવાડી પોલીસ પણ પ્રોટક્શન મા ઊભા પગે જોવા મળી હતી હાલ તો અધિકારીઓ તરફથી અરજદારને માહિતી આપવામાં આવશે કે પછી ભુખ હડતાલ યથાવત રહેશે?તે જોવુ રહ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here