ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સંકલન સમિતિ સહિત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં રસ્તા,જમીન માપણી,ભૂ માફિયા સામે એક્શન લેવા સ્વચ્છતા સહિતના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અંતર્ગત “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ( પી.એમ.જી. કે.એ. વાય ) ના અમલીકરણ બાબતોની ચર્ચા પણ કરવામાં આવી હતી.
આ વેળાએ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહજી, ડીડીઓશ્રી ડી.કે.બારીયા, નિવાસી કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા અને જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.