પંચમહાલ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન ૧,૩૩૩ પ્રાથમિક અને ૨૩૩ માધ્યમીક શાળાઓમાં ૪,૯૭૧ બાળકો આંગણવાડી,૧૯,૩૬૧ બાલવાટિકા અને ૧૨,૭૩૪ બાળકોનું ધોરણ ૧માં નામાંકન થયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા:-

પંચમહાલ શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ:’ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની

ત્રીજા દિવસે જિલ્લાની ૪૩૩ પ્રાથમિક અને ૩૪ માધ્યમીક શાળાઓમાં ૧૪૦૨ બાળકો આંગણવાડી,૫,૯૮૪ બાલવાટિકા અને ૩,૯૮૦ બાળકોનું ધોરણ ૧માં નામાંકન થયું

૯૨૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવાયા,૧,૬૦૩ મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને આવકાર્યા,૯૪ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની શરૂઆત કરાઈ

કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે આજરોજ ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લામાં કુલ ૧૧,૩૬૬ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે.પંચમહાલ જિલ્લામાં આજે છેલ્લા દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી,સર્વ ધારાસભ્યશ્રીઓ,રાજ્ય સરકાર તથા જિલ્લાના અધિકારીશ્રીઓ સહિત કુલ ૪૭૦ મહાનુભાવોના હસ્તે જિલ્લાની ૪૩૩ પ્રાથમિક અને ૩૪ માધ્યમીક શાળાઓમાં ૧૪૦૨ બાળકો આંગણવાડી,૫,૯૮૪ બાલવાટિકા અને ૩,૯૮૦ બાળકોનું ધોરણ ૧માં નામાંકન કરાયું હતું.

રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ દરમિયાન યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કુલ ૧,૬૦૩ મહાનુભાવો જોડાયા હતા.જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન કુલ ૧,૩૩૩ પ્રાથમિક અને ૨૩૩ માધ્યમીક શાળાઓમાં ૪,૯૭૧ બાળકો આંગણવાડી, ૧૯,૩૬૧ બાળકોનું બાલવાટિકામાં અને ૧૨,૭૩૪ બાળકોનું ધોરણ ૧માં નામાંકન કરાયું હતું. જિલ્લામાં કુલ ૩૭,૦૬૬ બાળકોને આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ ૧માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યારે ૯૨૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવવામાં આવ્યા હતા.આ સાથે જિલ્લામાં ૯૪ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની શરૂઆત કરાઈ છે.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લામાં ૨૩૬ દિવ્યાંગ બાળકોને પ્રવેશ અપાયો જ્યારે ધોરણ ૯માં ૨૧,૫૦૫ અને
ધોરણ ૧૦ થી ૧૧માં ૧૩,૨૩૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રવેશ મેળવ્યો છે.જિલ્લામાં કુલ ૩૯ લાખથી વધુની રકમ લોક સહકાર અને દાનના સ્વરૂપે મળેલ છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં વૃક્ષારોપણ તથા એસ.એમ.સી કમિટીની બેઠકો યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here