રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની ઉપસ્થિતિમાં વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ 30 મી જાન્યુઆરી શહીદ દિન નિમિત્તે શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.