પંચમહાલ જિલ્લામાં આગામી ૨૫ જુલાઈના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જિલ્લાના નાગરિકો સેવાકીય,કોર્ટમેટર,રહેમરાહે નોકરી,પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં ૧૦ જુલાઈ સુધી મોકલી શકશે

પંચમહાલ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૭/૨૦૨૪ને ચોથા ગુરૂવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે.

સંબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય,કોર્ટમેટર,રહેમરાહે નોકરી,પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જાહેર રજા સિવાયના દિવસો દરમ્યાન રજુ કરવાના રહેશે.અરજી ઉપર “જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ અરજી એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

સ્વાગત કાર્યક્રમ માટે નીચે મુજબની અરજીઓ સ્વીકારવામાં આવશે.
(૧) લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે.
(ર) જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલાં કોઈ પણ અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં, ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોય ત્યાં અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય,
(3) જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જિલ્લામાં જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજૂઆતની નકલ સહ અરજી કરવાની રહેશે,
(૪ ) આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નોનો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય એવા જ તેમજ કોર્ટ મેટર થયેલ ન હોય તેવા જ પ્રશ્નો હોવા જોઈએ,
(૫) આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં,
(૬) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામૂહિક રજૂઆતો કરી શકાશે નહીં તેમ પંચમહાલ જન સંપર્ક અધિકારી ટુ કલેકટરશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here