નસવાડી : 31માર્ચના રોજ ખડકીયા(બો) ગામે પોતાની શાળાની ઓફિસમાં ઝેરી દવા પીનાર આચાર્યનું આજ રોજ સારવાર દરમિયાન મોત

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના ખડકીયા(બો)શાળાના આચાર્ય એ તા.31 માર્ચના રોજ શાળાની ઓફિસમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી તેમના પિતા ને આ વાતની જાણ કરવામાં આવી હતી અને ઝેરી દવા પીધાની જાણ થતાં શાળાનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ગ્રામજનો મોટી સંખ્યા માં ભેગા થયા હતા અને અને શાળાના આચાર્ય ને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને એવાતને લગભગ 5 દિવસ વિતી ગયા બાદ ઝેર ની અસર વધુ હોવાના કારણે સોમવારના રોજ આચાર્ય સોલંકી સુનિલકુમાર જેન્તીભાઈ નુ સારવાર દરમિયાન અવસાન થયુ હતુ જેની જાણ ખડકીયા શાળામાં થતા ગ્રામજનોએ દુઃખ વ્યક્ત કર્યું હતું આ બનાવ 31 માર્ચ ના રોજ બન્યો હતો અને પ્રાપ્ત માહીતી અનુસાર આ બનાવ બન્યે લગ ભગ પાંચ દિવસ વીતી ગયા છે અને આચાર્ય નું નિધન પણ થઈ ગયુ છે પણ પોલીસે શાળાની મુલાકાત લીધી નથી તેવુ જાણવા મળેલ છે અને આચાર્ય ની ઉંમર આશરે 40 વર્ષની જાણવા મળેલ છે અને છેલ્લા 20 વર્ષ થી શાળામાં ફરજ બજાવતા હતા અને રહેવાસી વડોદરા 203 શિદ્ધેશ્વર સોસાયટી સયાજીપૂરા તેમનુ નિવાસ્થાન આવેલુ છે હાલ પોલીસે આત્મ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને હાલ આચાર્ય ની મોત ને લઈ ગામમા શોક જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here