નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડીમાં બીજેપીના કાર્યકરો સહીત ગામલોકોએ ચારરસ્તા ચોરા પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને એમની સાથે સાથે જેટલા પણ જવાનો શહીદ થયા એમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ચાર રસ્તા ખાતે સાંજના સમયે બીજેપી ના હોદ્દેદારો કાર્યકરો અને ગામના તમામ નાગરિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી અને ચોરા પર મીણબત્તી સળગાવવામાં આવી હતી જે શહીદોની યાદ માં સળગાવવામાં આવી હતી અને જનરલ બિપિન રાવત નો ફોટો મૂકી એના પર હાર પહેરાવવામાં આવ્યો હતો અને આવેલ દરેક કાર્યકરો તથા ગ્રામજનોએ ફૂલ ચડાવી પગે લાગ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો અને ભારત માતા કી જય બિપિન રાવત તુમ અમર રહો ના નારા સાથે ચારરસ્તા ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.