નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
રોડની સાઈડો હજુ સુધી ન પુરાતા વાહન ચાલકો માં હાલાકી
પાર્શલ થી કોધા વચ્ચે થોડા સમય પહેલા જ સંસદ સભ્ય ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી ના હસ્તે ઉદ્દઘાટન કરી તાત્કાલિક રોડ નું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને એમાં પ્રજાજનો માં ઘણી ખુશી જોવા મળી હતી અને રોડ બન્યા ને સમય વીતતા હજુ સુધી રોડ પરની સાઈડો એવા ને એવી જ છે પણ તંત્ર ધ્યાન આપતું નથી એમ રાહદારીઓ માં ચર્ચા સાંભળવા મળી છે અને સાઈડો ના પુરવાના કારણે રોડ પરથી ગાડી ઉતરી જતા ટ્રેક્ટર મંગાવી ગાડી ને રોડની સાઈડ પરથી રોડ પર ચઢાવવામાં આવી હતી જેમાં દિવસે તો રોડની સાઈડો દેખાય છે પણ રાત્રે વાહન ચાલકોને સાઈડો ન દેખાતા ગાડીઓ ઉતરી જાય છે અને તંત્ર આ રોડની સાઈડો પુરે અને કોઈ ભયંકર અકસ્માત ન થાય તેવી પાર્શલ થી કોધા વચ્ચે ના ગામ લોકોમાં ચર્ચા છે.