નર્મદા : પતિ દેવની નિષ્કાળજી પત્નિ માટે બની મોતનુ કારણ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પાણી સમજી ઝેરી દવા ગટગટાવી જતા મહિલા યમલોક સીધાવી

પતિદેવે ખેતરમાં ઉગેલા ઘાસને મારવા ઝેરી દવા પાણીમા ભેળવી ખેતરમા જ ઝાડ નીચે મુકેલ જે પત્નિએ પી જતા સારવાર દરમ્યાન મોત

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગઢેર ગામે પતિદેવની નિષ્કાળજી તેની પત્નિના મોતનુ કારણ બની હતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે ગરૂડેશ્વર તાલુકાના ગઢેર ગામે અમરતભાઈ લુલજીભાઈ તડવી પોતાની પત્ની તારાબેન સાથે પોતાના ખેતરમાં ગયા હતા ત્યારે ખેતરમાં ઘાસ કચરો ઉગી નીકળેલ હોયને ઘાસ કચરો મારવા માટે પત્નિ સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા, ઘાસ કચરો મારવાની દવા તેણે પોતાના ખેતરમાં આવેલ બોરડીના ઝાડ નીચે પાણીમા મીક્ષ કરીને મુકેલ હતી, તારાબેનને પાણીની ભારે તરસ લાગતાં તેણે ઝેરી દવા વાળુ પાણી બોટલમાંથી ગટગટાવી જતાં પતિદેવને ખબર પડતા તે ચોંકી ઉઠયો હતો. અને ત્યારબાદ તરત જ પત્નિને ગરૂડેશ્વર ખાતેના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જયાં તેણીનું પાંચ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. આમ પતિદેવની નિષ્કાળજી તેની પત્નિના મોતનુ કારણ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here