નર્મદા જીલ્લાના કુકરેજ ગામ પાસે રીક્ષા સાથે મોટરસાઈકલ ભટકાતાં મોટરસાઈકલ ચાલકનુ મોત

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના કુકરેજ ગામ પાસે પુરપાટ ઝડપે દોડતી મોટરસાઈકલ એક રીક્ષા સાથે ભટકાઇ હતી જેમાં મોટરસાઈકલ ઉપર સવાર ત્રણ ઇસમો ને માથા ના શરીર ના ભાગે ઇજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલ મોટરસાઈકલ ચાલક નુ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર મરણ જનાર જશુભાઈ હરીભાઇ ભીલ ઉ. વર્ષ 40 રહે. ભરવાડા, તા. નસવાડી જી. છોટાઉદેપુર નો પોતાની મોટરસાઈકલ નંબર GJ 34E 1068 ઉપર સવાર થઇને પોતાની સાથે અન્ય બે ઇસમો ને બેસાડી ત્રણ સવારી મોટરસાઈકલ ચલાવી કુકરેજ ગામ પાસે ની દરગાહ પાસે થી પુરપાટ ઝડપે પસાર થઇ રહયો હતો. જેણે રીક્ષા નંબર GJ 06 YY 9555 ની સાથે સામે થીજ ધડાકાભેર ભટકાયો હતો. મોટરસાઈકલ રીક્ષા સાથે ભટકાતાં તેના પર સવાર ત્રણેય ઇસમો મોટરસાઈકલ સાથે રોડ ઉપર પટકાયા હતા જેથી ત્રણેય ને માથા ના શરીર ના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.

માથા ના ભાગે ગંભીર ઇજા પહોચતા મોટરસાઈકલ ચાલક જશુભાઈ હરીભાઇ ભીલને સારવાર માટે વડોદરા એસ.એસ.જી. ખાતે ખસેડવામાં આવ્યો હતો.જયા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here