ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-
મકાન કાચુ હોય ગણતરીના સમયમાંજ બળીને ભસ્મીભૂત ઘરનો સામાન પણ આગ મા હોમાયું
બે પશુઓ આગની ભયંકર જ્વાળાઓની લપેટમાં આવતા મૃત્યુ પામ્યા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના ઉમરાણ ગામ માથી પસાર થતી વીજ કંપની ની કેબલ લાઇન ના વાયરો માં તણખાં ઝરતા ઍક કાચુ મકાન બળી ને ભસ્મીભૂત થયું હતું.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકા ના ઉમરાણ ગામ ની સીમમાં આવેલા ગુંદલાઆબાં ફળિયા માં રેહતાં આટિયા કોટવાળીયા વસાવાના ઘર ઉપરથી પસાર થતા વીજ વાયરોમાં સૉર્ટ સર્કિટ સ્પાર્ક થતાં તણખા ઝર્યા હતા જેથી કાચા ઘરમાં આગ લાગતા સમગ્ર ઘર બળીને ભસ્મ થયો હતો,ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન પણ આગ મા હોમાયું હતું. તેમજ બે પશુઓના પણ આગ ની પ્રચંડ જ્વાળાઓ માં હોમાતા મોત થયા હતા.
હાલ ઉમરાણ ગ્રુપ ગ્રામ પંચાયત ના તલાટી સહિત સરકારી તંત્ર દ્વારા આગ ના બનાવ નું પંચ ક્યાસ કરી અસરગ્રસ્ત થયેલ ઈસમ ને સરકારી સહાય આપવાની દિશા માં આગળની કાર્યવાહી હાથ ધરી છે.