નર્મદા : ચકાસણી માટે મોકલાયેલા ૦૯ સેમ્પલ પૈકી ૦૮ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યા : આજે ૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૮૧,૦૯૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૨૨૧ જેટલા જરૂરિયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

નર્મદા જિલ્લામા આજે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

છેલ્લા 17 દિવસથી એકપણ નવો કેસ નહી જીલ્લો સલામત ગ્રીન ઝોન તરફ પ્રયાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૦ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નથી. ગઇકાલના ચકાસણી માટે મોકલાયેલ ૦૯ સેમ્પલ પૈકી ૦૮ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે. જ્યારે આજે ૮ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલકક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૧૦ મી મે, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૮૧,૦૯૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૪૨ દરદીઓ, તાવના ૪૩ દરદીઓ અને ડાયેરીયાના ૩૫ દરદીઓ અને ગળામાં ખારશ (Sore throat) ના ૦૧ દરદી સહિત કુલ – ૨૨૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા મા છેલ્લા 17 દિવસ થી કોઇ પણ ન નવો કેસ નોંધાયો નથી.જે જિલ્લા માટે ખુબજ સારા સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here