દાહોદ, સાગર કડકિયા :-
દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે આજરોજ એક ગાયનો વાછરડો ગટરમાં પડી જતાં આ અંગેની જાણ ઓલ એનીમલ રેસ્ક્યુ ટીમને કરવામાં આવતાં ઓલ એનીમલ રેફ્યુની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ગાયના વાછરડાને ગટરમાંથી બહાર કાઢી સારવાર કરાઈ હતી ત્યાર બાદ ગાય ના વાછરડા ને ઓલ એનિમલ રેસકયું ગ્રુપ સાચલિત શ્રી કૃષ્ણ કનૈયા ધામ ગૌશાળા લઇ જવાય હતી..