ઝાલોદ,(દાહોદ) પંકજ પંડિત :-
ઝાલોદ નગરમાં આજ રોજ 26. મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિતે ઝાલોદ મુસ્લિમ સમાજના મૌલાના ઇમરાન કાકોશી ના હસ્તે ધ્વજ વંદન નો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.જેમાં ઊપસ્થિત રહેલા ઝાલોદ મુસ્લિમ સમાજના પ્રમુખ. ફારૂક ભાઈ ઉંદરા.તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને તમામ મૌલાના તથા ગ્રામ જનો હાજર રહ્યાં હતાં.કોરોના ગાઈડ લાઈન પાલન કરી અને ધ્વજ વંદન નો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો