છોટાઉદેપુર : પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગાર અંગે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-.

ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઇપણ વ્યક્તિને સ્વરોજગારીની તક મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર ધંધો-રોજગાર શરૂ કરી આત્મનિર્ભર બને તે માટે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો, તથા ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન મળી રહે તે હેતુસર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છોટાઉદેપુર મારફત અમલીકરણ થયેલ છે.
આ યોજનામાં ૧૮ થી ૬૫ વર્ષ સુધીની ઉંમરની કોઇપણ વ્યકતિ આ યોજનાનો લાભ લઇ શકે છે. લાભ લેનાર વ્યકિત ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ અથવા સંબંધિત ધંધાની તાલીમ/અનુભવ મેળવેલ હોવી જોઇએ.
અરજદારો નવા એકમ માટે તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજ દરે સેવા ક્ષેત્ર માટે રૂ.૨૦ લાખ તથા ઉત્પાદન ક્ષેત્રે રૂ.૫૦ લાખ સુધીની લોન ભલામણ કરવામાં આવે છે. જેના ઉપર જનરલ કેટેગરીમાં ૧૫ થી ૨૫ ટકા તથા રિઝર્વ કેટેગરી (SC, ST, મહિલા દિવ્યાંગ, એક્સ સર્વિસ મેન)ને ૨૫ થી ૩૫ ટકા સબસીડી મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, શાળા છોડયાનો દાખલો/જન્મનું પ્રમાણપત્ર, ગામની વસ્તિનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો/છેલ્લી માર્કશીટની નકલ, ધંધાને લગતા ભાવપત્રક, ધંધાના સ્થળનો આધાર (લાઇટબિલ/ વેરા પહોંચ) જેવા ડોક્યુમેન્ટ સાથે
https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/AgencyloginPageNew.jsp पोर्टल पर विनामूल्ये सोनवान અરજી કરવાની રહેશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, છોટાઉદેપુર દ્વારા કોઇપણ એજન્ટો, દલાલો કે અનધિકૃત વ્યકિતઓને માન્યતા આપેલ નથી.
જેથી સદર યોજનામાં લોન મંજુર કરાવવાના બહાને કોઇપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહિ. જો આપને યોજના સંબધિત કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, છોટાઉદેપુર, કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રના મકાનમાં, કોર્ટની પાછળ, છોટાઉદેપુર તા.જિ.છોટાઉદેપુર નો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here