ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતીને મળી રહ્યો છે વેગ,અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યસરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરી રહ્યાં છે

અરવલ્લી જિલ્લાના અમરતપુરાકંપાના ખેડૂત જીજ્ઞેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરીને રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે.અરવલ્લીના ખેડૂત મબલખ પાક મેળવી રહ્યા છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સફળતા મેળવી રહ્યા છે.ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને હળદર, શાકભાજી,મગફળી ઉગાડે છે. ખેતરમાં પ્રાકૃતિક જીવામૃત જાતે તૈયાર કરે છે.ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે.જીવામૃત જાતેજ તૈયાર કરે છે. જેનો દવાના રૂપે છંટકાવ કરે છે.આમ અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્યપાલશ્રી અને ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક સાથે પર્યાવરણને પણ ઉપયોગી બની રહ્યા છે અને કુદરતે આપેલું કુદરતને આપીને કુદરતી ચક્રને સાચવવાનો ફાળો આપી રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેના માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here