કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ નગરમાં ચર્ચાસ્પદ એવા નવજાત શિશુને વેચવાના પ્રકરણમાં નવજાત શિશુની કુંવારી માતાની ફરિયાદને આધારે કાલોલ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી સાવલીના એક ગામના યુવક પંકજભાઈ શંકરભાઈ પરમારને કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના ગામમાંથી રાઉન્ડઅપ કરી કાલોલ પોલીસ મથકે લાવવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે ભોગ બનનાર યુવતીએ સદર યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે યુવક તથા યુવતી અને નવજાત શિશુનો ડી.એન.એ ટેસ્ટ કરાવાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.