કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના દામાદ અને શેર-એ-ખુદાના નામે ખ્યાતી મેળવેલ ઇસ્લામના ચોથા ખલીફા હજરત સૈયદ મોલા અલી રમજાન માસની ૨૧ તારીખે સમગ્ર ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઉર્સેની ઉજવણી કરવામાં આવે છે. તેને લઈ કાલોલ વિવિધ મુસ્લીમ વિસ્તારોમાં પવિત્ર રમજાન માસમાં સિદ્દિકે અકબર ફેન્ડ સર્કલ દ્રારા સૈયદ મોલા અલી ઉર્સના મોકા પર તેમજ ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ હજરત મોઇનુદ્દીન બાબાના બેગમ સાહિબા જીલ્લાની અમ્મા પવિત્ર રમજાન માસમાં આ ફાની દુનિયાને અલવિદા કરી જતાં તેમની યાદમાં ઈસાલે સવાબ માટે રમજાન માસમાં રોઝા રાખતા 500 જરૂરીયાતમંદ રોઝેદારોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.