કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
હાલમાં કોરોનાનું સંક્રમણ છે ત્યારે (“કોવિડ-૧૯ “હેન્ડ વોશ સ્ટેશન કાલોલ તાલુકા) સ્વચ્છ ભારત મિશન ગુજરાત અંતર્ગત કાલોલ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે લોકોના આરોગ્યની જાળવણી થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૌજન્યથી તથા તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન ગુજરાત યોજના હેઠળ કાલોલ શાખા દ્વારા કાલોલ તાલુકા પંચાયતના પ્રાંગણમાં કોરોનાથી બચવા માટે હાથ ધોવા માટેનું સેનેટાઈઝર હેન્ડ વોશ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું કાલોલ તાલુકાની ૧૧ જેટલી ગ્રામ પંચાયતોમાં પણ કોરોના મહામારી સંક્રમણને અટકાવવા માટે આ સુવિધા ચાલુ કરવામાં આવી છે.