પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નવાગામ નર્સરી મુકામે વન વિકાસ કાર્યક્રમ અંતર્ગત લોક સંગઠન ચલાલી વેજલપુર રેન્જ નાં ગોધરા વન વિભાગ દ્વારા આજરોજ તાલીમ અને સહાય યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જંગલ ખાતાના આર.એફ.ઓ. એમ.એમ પરમાર તથા ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતિના જીલ્લા ઉપાધ્યક્ષ સોમાભાઈ મેધવાલ સાથે જંગલ ખાતાનો સ્ટાફ અને ગામના આગેવાનો અને મોટીસંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અને જંગલ ખાતા દ્વારા ગ્રામ્યજનો ને પાણીની બોતલ,પેન,બેગ,નોટબુક નું વિતરણ સાથે ભોજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.