મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-
આગામી તારીખ ૨૩- ૫-૨૨ ને સોમવાર ના રોજ તત્વ મંથન હૉલ, તત્વ કોલેજ, મોડાસા ખાતે *બધી જ બ્રાન્ચના ડિપ્લોમા ઈજનેરો* માટે ભરતી મેળો રાખવામાં આવેલ છે.
આ ભરતીમાં લગભગ ૧૫૦ થી વધારે ડિપ્લોમા ઇજનેરો ની ભરતી કરવા *આઈ.ટી.સી.* *લીમીટેડ* ,નડિયાદની કંપની આવવાની છે. જેમાં સુપરવાઇઝર, ક્વૉલીટી કંટ્રોલ એન્જિનિયર, અને ઑપરેટર વિગેરે વિવિધજગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ થનાર છે.
તત્વ કોલેજ, મોડાસાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી પ્રો. જયદત્ત સિંહ પુવાર અને પ્રિન્સિપાલ શ્રી ડો. કિરણ દરજી એ ઘર આંગણે આવેલી રોજગારીની તકનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું છે.
અને ૨૦૧૯થી૨૦૨૨ સુધી માં પાસ થયેલ તમામ ડિપ્લોમા ઇજનેરોએ જરૂરી પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે હાજર રહેવા ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલના ઇન્ચાર્જ પ્રોફેસર હરેન્દ્રસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓનેસુચિત કર્યા છે.