ગોધરા(પંચમહાલ),
એસીએસ શ્રી મનોજ અગ્રવાલે આજે પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતની યોજનાઓ વિશે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પ્રિ-મેટ્રિક સ્કોલરશિપ, પાલક માતા-પિતા યોજના, સુરદાસ યોજના, વિચરતી વિમુક્ત જાતિઓ માટેની વિશેષ યોજનાઓના અમલીકરણ વિશે વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરી હતી. આ યોજનાઓનો લાભ જિલ્લાના વધુમાં વધુ લાભાર્થીઓ ઉઠાવે તે અંગે અધિક મુખ્ય સચિવશ્રીએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ડીજીટલ સેવા સેતુનો મહતમ લોકો લાભ લે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને આગ્રહ કર્યો હતો.